वैदिक यज्ञाधिकार किसका ?

 અશાસ્ત્રીય યજ્ઞયાગાદિ ધાર્મિક વિધિ વિધાન કરાવનાર યજમાન અને "અયાજ્યાયાજન" કર્મ કર્તા વિપ્રો માટે નરક ના માર્ગ પ્રશસ્ત છે. 

અનધિકૃત યજમાન માટે પૌરાણિક યજ્ઞયાગાદિ  વિધાન ને જાણવા છતાં જે શાસત્રાજ્ઞા નુ ઉલ્લંઘન કરે છે એ દ્વિજો એ ચાંડાલત્વ ને પ્રાપ્ત કરી લીધુ સમજી લેવું જોઈએ.મંત્ર તારક પણ છે, મંત્ર મારક પણ છે જેથી પોતપોતાના અધિકાર ને જાણીને સમજીને ગુરુ આજ્ઞા બાદ જ મંત્ર પ્રયોગ કરવો શાસ્ત્રસંમત અને હિતાવહ છે 

અનાધિકારી ને વૈદિક વિધાન કરાવવા છતા અનાધિકારી ને શુભમનવાન્છિત ફલ ની પ્રાપ્તિ થતી હોય છે જે કર્મ નુ શુભાશુભ ફળ છે. बन्धनान् मृत्योर्मुक्षीय કર્તા બંધક છે અને કર્મબંધન છે જેથી અનાધિકારી ને અશાસ્ત્રોક્ત અયાજ્ય યાજન કરાવનાર વિપ્ર પોતાનુ દ્વિજત્વ ગુમાવી ચૂકે છે અજ્ઞાનતાવશ ગુમાવી ચૂકેલ દ્વિજત્વ પુન: પ્રાપ્ત કરવા કટિબદ્ધ બની ઉચિત શાસ્ત્રોક્ત પરિક્ષણ બાદ સપ્રાયશ્ચિત પુનરુપનયન થકી પોતાનો વૈદિક અધિકાર પ્રાપ્ત કરી સકે છે અને પોતાના દ્વિજત્વ નુ સંરક્ષણ કરી સકે છે. 

१ शूद्राणामपि मन्त्रवज्यं ग्रहयज्ञकरण अधिकार:- 

शूद्रधर्मप्रकरणे मनुः- 

धर्मेप्स्वस्तु धर्मज्ञाः सतां धर्ममनुष्ठिताः । 

मन्त्रवर्ज्येन दुष्यन्ति प्रशंसा प्राप्नुवन्ति च ॥ 

केचन विप्राः द्रव्यलोभेन उपनयनरहिताना जात्यवैश्पक्षत्रियाणां द्रव्यमादाय ब्राह्मणद्वारा सत्तानिवृत्ति कृत्वा वयं कुर्मः इतिवदन्तः वैदिकविधिना कर्म कुर्वन्ति तन्नयुक्तम। 

आसनाच्छ्यनाद्यानाद् भाषणात्सहभोजनात्। 

संक्रामन्तीह पापानि तैलविन्दुरिवाम्भसि ।। (पराशरस्मृति)

संलापस्पर्शनि:श्वास- सहशय्यासनाशनात् ।

याजनाध्यापनाद्यौनात्पापं संक्रमते नृणाम् ।। (देवलस्मृति)


સાથે બેસવુ, શયન કરવુ, સવારી કરવી ફરવુ, વાર્તાલાપ કરવો, ભોજન કરવુ, સ્પર્શ કરવો,શ્વાસ લેવો,પૂજન કરાવવુ, ભણાવવાથી તથા યૌનાચાર થી મનુષ્યોના પાપ સંક્રમિત થઈ જાય છે અને ચાણ્ડાલ સમાન બની જાય છે.

આપણા મૂળધર્મ શાસ્ત્રો -શ્રુતિ,સ્મૃતિ ઇત્યાદિ મા ૩ પ્રકાર ના પતિતો ને કયા અધિકાર નથી ? પ્રાયશ્ચિતવિધિ બાદ પણ જેની જાતિગ્રાહ્યતા નથી એવી પતિત દ્વિજાતિ એ પોતાની પારલૌકિક ગતિ માટે ગુરુ ના માર્ગદર્શનાનુસાર પૌરાણિક વિધાન થી વિધિ વિધાન કરવુ. 

૧ -:- બ્રહ્મહત્યાદિમહાપાપો થી પતિત

૨ -:- વિદેશગમનાદિ દોષો થી પતિત

૩ -:- ૪૫ પ્રકાર ના પૂનરુપનયન દોષો થી પતિત દ્વિજાતિ (બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય) 

ઉપરોક્ત ત્રણેય કારણોસર પતિતો પોતાનો દ્વિજાતિકર્મો મા અધિકાર ગુમાવી ચૂકે છે. કારણ કે આમની સાથે અન્ય પણ શાખારણ્ડ અને વ્રાત્યાદિ દોષો ના કારણે પહેલાથી જ દ્વિજત્વ વિદ્યમાન નહતું. 

**પુનરુપનયનનિમિત્ત દોષો થી પતિત થયેલ કુલ ૩ પ્રકાર ના પતિતપતિત -:- 

૧-:- #સામાન્યપતિત* જેમનુ સપ્રાયશ્ચિત પૂનરુપનયન શક્ય છે. 

૨-:- #મહાપાતકી*  બ્રહ્મહત્યા, ગુરુતલ્પગ, સુવર્ણ ની ચોરી કરનાર, તંબાકુ,ગુટકા,મસાલા ,મદ્યપાનાદિ નશીલા પદાર્થ નુ સેવન કરનાર  આ ચાર પ્રકાર ના સામાન્યતઃ તત્સમાન પાતકી. 

૩-:- #વિદેશગમનાદિ* વિદેશગમનકાર કે જેમનુ કલીયુગ મા (દ્વાપરયુગ ના અંત સુધી બતાવેલ બૌધાયનોક્ત સૂત્ર ૩ વર્ષ નુ) કલીયુગ મા પ્રાયશ્ચિતવિધિ કરવા છતા પણ જાતિ ગ્રાહ્યતા નથી.

આ ત્રણેય પ્રકાર ના પતિતો ને વેદાધ્યાયન-વેદાધ્યાપન,વેદમંત્રયુક્તવેદમંત્રસાધ્ય યજ્ઞાદિ યજન યાજન ( *અયાજ્ય -યાજન* આવા યજમાનો માટે વૈદિક યજ્ઞ યાગાદિ જેનો કળીયુગમાં નિષેધ છે) સાથે દાન, પ્રતિગ્રહ અને શાસ્ત્રોક્ત આતિથ્યસત્કાર માટે અયોગ્ય/અનધિકૃત  છે.શાસ્ત્ત્રોક્ત સિધ્ધાંત મા કોઇ પણ પંડિત નો કે કોઇ પણ ધર્મગુરુ નો મત સ્વીકાર્ય નથી. 

સર્વજ્ઞનારાયણભાષ્ય મનુસ્મૃતૌ ૫/૧૯*

પતેત દ્વિજાતિકર્મેભ્યોહાનિ:

પતનમિતિ ગૌતમોક્ત પાતિત્યવાન્ ભવતિ

તેન પ્રાયશ્ચિત ચરણાત્ પ્રાક્

સંધ્યાદાવનધિકાર ઉક્ત:

એવં યત્ર યત્રાન્યદોષે પાતોક્તિસ્ત્તત્રદ્વિ દૃષ્ટવ્યમ

સત્યાષાઢ શ્રોતસૂત્રે ----}

"દ્વિજાતિકર્મેભ્યોહાનિ : પતનમિતિ । 

પતનં પતનકરં કર્મ દ્વિજાતિકર્મેભ્યો હાનિકારં વિશ્લેષકરં ।। 

દ્વિજાતિકર્મસુ ન પતિત્યસ્યાધિકાર ઇતિ।।"


કુલ્લુકભાષ્યેમનુસ્મૃતૌ "સર્વસ્માત્

દ્વિજકર્મણોતિથિ સત્કારાદેપિ બાહ્ય: કાર્ય:"


ગૌતમધર્મસૂત્ર પ્ર૦૩, અ૦૩

દ્વિજાતિકર્મેભ્યો હાનિ: પતનમ્ -૪

દ્વિજાતિનામ્ યાનિ કાર્યા (#કર્મા) #ણ્યધ્યયાદીનિ 

શ્રોતાનિ ગાર્હ્યાણિ સ્માર્ત્તાનિ ચ તેભ્યો

હાનિસ્તેષ્વનધિકાર:  હરદત્તમિતાક્ષરાવૃત્તિ:

Comments

Popular posts from this blog

Copyright

सूर्य संबंधित कार्य

भूत प्रेत